માતૃભાષાનો મહિમા – પરંપરા અને સંસ્કૃતિનું જતન
વિશ્વભાષા પર પ્રભુત્વ – વિકાસ તરફ ઉચિત રીતે પ્રયાણ
સુરતની શાળાઓના પાયલોટ પ્રોજેક્ટની સફળતાને પગલે
હવે સમગ્ર ગુજરાતમાં નવા દ્વિભાષી માધ્યમને મંજૂરી મળી


ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી શ્રી. ભુપેંદ્રસિંહજી ચુડાસમાએ આજે ગુજરાતની શાળાઓ માટે ત્રીજા વૈકલ્પિક માધ્યમ તરીકે મંજૂરી આપ્યાની જાહેરાત કરી હતી અને એની માહિતી આપતી વેબસાઈટ www.bilingualmedium.in નું પોતાના વરદ હસ્તે ઉદઘાટન કર્યું હતું.
આ તબક્કે માહિતી આપતાં એમણે જણાવ્યું હતું કે 2020માં આવેલી નવી શિક્ષણ નીતિમાં પણ દ્વિભાષી(માતૃભાષા અને અંગ્રેજી) સજ્જતાની હિમાયત કરવામાં આવી હોવાથી સુરતની શાળામાં આ પ્રકારાના સફળ પ્રયોગની ચકાસણી કરી સરકારે બનાવેલી કમિટી એ એને રાજ્યવ્યાપી બનાવવાની ભલામણ કરી હોવાથી ગુજરાતે સરકારે એક ક્રાંતિકારી નિર્ણય લઈ તા. 29 જુલાઈના રોજ એક પરિપત્ર બહાર પાડી આ વરસથી ગુજરાતમાં સ્વૈચ્છિક રીતે જે ખાનગી શાળાઓ ઈચ્છે તે મંજૂરી લઈ આ દ્વિભાષી માધ્યમ શરૂ કરી શકે, એ મુજબનો નિર્ણય કર્યો છે.


શુભેચ્છા સંદેશ





દ્વિભાષી માધ્યમ

નવી શિક્ષણનીતિનું સમર્થન

વિકાસ તરફ ઉચિત રીતે પ્રયાણ
પરિચયાત્મક માર્ગદર્શિકા
1. પૂર્વભૂમિકા
1.1 નવી શિક્ષણનીતિનું સમર્થન
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં જાહેર થઈ છે જેનાથી આપણે સહુ માહિતગાર છીએ. એમાંથી મુદ્દા નંબર 4.12 અને 4.14 દ્વિભાષી શિક્ષણની ભલામણ કરે છે. તે નીચે મુજબ છે.

4.12 સંશોધનો સ્પષ્ટપણે દર્શાવે છે કે બાળકો 2 થી આઠ વરસની ઉંમર વચ્ચે અત્યંત ઝડપથી ભાષાઓ શીખી લે છે અને બહુભાષિતાથી આ ઉંમરના વિદ્યાર્થીઓને ઘણા જ્ઞાનાત્મક લાભ થાય છે તેથી આ વયજૂથના બાળકોને પાયાના તબક્કાથી જ શરૂ કરીને વિવિધ ભાષાઓથી પરિચિત કરાવવામાં આવશે. (અલબત્ત માતૃભાને પ્રાથમિકતા આપીને જ) દરેક ભાષાને એક મનોરંજક અને સક્રિયાત્મક (ઈંટર-એકટીવ) શૈલીમાં ભણાવવામાં આવશે. મુખ્ય આધાર સક્રિય વાતચીત કે સંવાદ પર રહેશે. પહેલા બે ધોરણ દરમ્યાન માતૃભાષાનું વાંચન પહેલા શીખવવામાં આવશે ત્યારબાદ માતૃભાષાનું લેખન શીખવવામાં આવશે. ત્રીજા ધોરણથી આગળ બીજી ભાષામાં વાંચનકૌશલ્ય અને લેખનકૌશલ્ય વિકસે એ રીતે શિક્ષણ આપવામાં આવશે.
4.14 વિજ્ઞાન અને ગણિતના વિષયમાં ઉચ્ચકક્ષાની ગુણવત્તાવાળાં દ્વિભાષી પાઠ્યપુસ્તકો અને શિક્ષણ-સહાયક અધ્યયન અધ્યાપન સામગ્રી તૈયાર કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. આમ કરવાથી વિદ્યાર્થીઓ આ બન્ને વિષયો વિશે માતૃભાષા તેમજ અંગ્રેજી બન્ને ભાષામાં વિચારી શકવા અને બોલવા માટેનું સામર્થ્ય પ્રાપ્ત કરશે.
નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020થી પ્રેરાઈને “મિશન સ્કૂલ ઓફ એક્સેલંસ” પ્રોજેક્ટમાં આ સિદ્ધાંતને અનુસરતી પદ્ધતિ દાખલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
1.2 સફળ પ્રયોગ અને તજજ્ઞ સમિતિની ભલામણ
દ્વિભાષી માધ્યમ ગુજરાત માટે સાવ નવી વાત નથી. વર્ષ 2016થી સુરત શહેરની 29 શાળાઓએ સરકારની મંજૂરીથી ‘ગ્લોબલ ગુજરાતી માધ્યમ’ને નામે ‘દ્વિભાષી માધ્યમ’નો પ્રયોગ કરે છે. જિલ્લા શિક્ષણાધિકારીએ કરાવેલ થર્ડ પાર્ટી ઈવેલ્યુએશન મુજબ આ પદ્ધતિ સફળ અને સાર્થક રહી છે. આ સફળતાથી પ્રેરાઈને, આ પદ્ધતિને રાજ્યવ્યાપી બનાવી શકાય કે કેમ એની વિચારણા માટે સરકાર વર્ષ 2019માં બનાવેલી શિક્ષણવિદ અને તજજ્ઞોની કમિટીએ સુપ્રત કરેલા અહેવાલ મુજબ આ પદ્ધતિ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સફળ અને સમયની માંગ અનુસાર સાનુકૂળ જણાય છે. માનનીય શિક્ષણમંત્રી સમક્ષ થયેલી એકાધિક રજૂઆતો બાદ સરકાર પ્રારંભિક ધોરણે એના ‘મિશન સ્કૂલ ઑફ એક્સેલંસ’ પ્રોજેક્ટમાં આ પદ્ધતિની શરૂઆત કરવા તત્પર છે તેમજ ખાનગી શાળાઓ, સ્વૈચ્છિક ધોરણે, સરકારની મંજૂરી મેળવીને, અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના ત્રીજા વિકલ્પ તરીકે આ દ્વિભાષી માધ્યમનો ઉપયોગ કરી શકે છે.






